Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

રાષ્‍ટ્રીય કક્ષાએ ગુજરાતમાંથી એક માત્ર વલસાડના અધિકારીની
પસંદગી થતા ખુશીની લહેર પ્રસરી

53 વર્ષ જૂની રૂા. 10 કરોડથી વધુની વસૂલાત વ્‍યાજ સાથે કરી
ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ભારતીય ઈન્‍કમટેક્‍સ વિભાગને 165 વર્ષ પૂરા થયા છે. વિભાગમાં ઉત્‍કળષ્ટ કામગીરી બદલ દેશના 29 અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સિતારમનના હસ્‍તે રાષ્‍ટ્રીય કક્ષાએ દિલ્‍હી ખાતે સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. જેમાં ગુજરાતના એક માત્ર અધિકારી તરીકે વલસાડ ઈન્‍કમ ટેક્‍સ ઓફિસર ધર્મેન્‍દ્ર(ધર્મેશ) ટેકવાણીનું સર્ટિફિકેટ ઓફ એકસેલન્‍સ દ્વારા સન્‍માન કરાયું છે. જેના પગલે સમગ્ર વલસાડ સાથે ગુજરાત ઈન્‍કમટેક્‍સ વિભાગમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ઈન્‍કમટેક્‍સ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની પસંદગી થતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં એક માત્ર અધિકારીની પસંદગી થઈ હતી. જેમાં વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસર ધર્મેન્‍દ્ર ટેકવાણીની પસંદગી થઈ હતી. તેમના દ્વારા વલસાડ અને દમણના ઈન્‍કમટેક્‍સ અધિકારી તરીકે વર્ષ 1970-71 અને વર્ષ 1971-72ના વર્ષની જૂની ડિમાન્‍ડની વસૂલાત થઈ હતી. આ વસૂલાત રૂા.10 કરોડ થી વધુની હતી. જેમાં મોટું વ્‍યાજ અને પેનલ્‍ટી સામેલ હતી. 53 વર્ષ જૂની વ્‍યાજ સાથેની વસૂલાત કરવા બદલ તેમની રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી થવા પામી છે.
રાષ્‍ટ્રિય કક્ષાએ એવોર્ડ મેળવનાર ઇન્‍કમટેક્‍સ અધિકારી ધર્મેન્‍દ્ર(ધર્મેશ) ટેકવાણી હાલ સેલવાસ ઈન્‍કમટેક્‍સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વલસાડ જ નહી, પરંતુ સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના અધિકારીઓમાં પોતાના કામ પ્રત્‍યે ઉત્‍સાહની લાગણી જન્‍મી છે.

Related posts

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment