July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ કરવામાં આવેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના ‘સર્વ આદિવાસી સમાજ’ના આગેવાનોએ જિલ્લાના અંતરિયાળ વિસ્‍તાર એવા વાંસદા હેડવાચીમાળ સ્‍થિત સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના બાળકોને જલેબી, સમોસા સહિત તિથિભોજન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્‍યું હતું કે, જો ‘‘બાળકો સારૂં ભણશે તો સમાજ આગળ વધશે” અનેસમાજનું નામ પણ રોશન કરશે. એવી અપેક્ષા સાથે શિક્ષકોના કાર્યની પણ સર્વ આદિવાસી સમાજના આગેવાનોએ પ્રશંસા કરી હતી.
સર્વ આદિવાસી સમાજની સરાહનીય કામગીરીથી શિક્ષકો અને વાલીઓએ પણ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને તમામ પ્રતિનિધિઓનો આભાર માન્‍યો હતો.
આ અવસરે શ્રી શંકરભાઈ ગોરાત, શ્રી જુગલભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી પાવલુંસભાઈ સહિત અગ્રણીઓ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કેટલાક વાલીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

vartmanpravah

Leave a Comment