Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત (N.S.S.) રાષ્‍ટ્રીય સેવા યોજનાનો યુનિટ કાર્યરત છે. આ યોજનામાં ભાગ લેનાર દરેક સ્‍વયંસેવકો સેવા ભાવથી વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસની સેવામાં ભાગ લેતા હોય છે. 15 ઓગસ્‍ટ, 2024ના રોજ, દિપક સિંહ (T.Y.B.C.A.), એક સમર્પિત N.S.S. (રાષ્‍ટ્રીય સેવા યોજના) સ્‍વયંસેવક, નવી દિલ્‍હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પર આયોજિત રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍વતંત્રત દિનની ઉજવણીમાં ભાગ લેવા અતિથિ વિશેષ તરીકે માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રતિષ્ઠિત આમંત્રણ સ્‍વયંસેવકોના યોગદાન અને સમાજ સેવા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર દેખાવ દર્શાવે છે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને સ્‍વાતંત્ર્ય સંગ્રામના પ્રતિક એવા લાલ કિલ્લા પર સ્‍વતંત્ર દિનની ઉજવણી રાષ્‍ટ્રીય ગૌરવનું ભવ્‍ય પ્રદર્શન હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 24 સ્‍વયંસેવકો આમંત્રિત હતા જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફક્‍ત સદર કોલેજનાસ્‍વયંસેવકની પસંદગી થતા કોલેજ પરિવારમાં આનંદની અને ગૌરવની લાગણી અનુભવી હતી.
N.S.S. યુનિટની દરેક સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન તેમજ માર્ગદર્શન અને સ્‍વયંસેવકોની પસંદગી N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્‍બુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ લાલ કિલ્લા, નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ ટ્રસ્‍ટીગણે વિદ્યાર્થીનો અભાર માની ભવિષ્‍યમાં પણ દેશની સેવામાં ભાગીદાર બની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment