September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉમરગામમાં નાની બાળકી સાથે બનેલી દુષ્‍કર્મની ઘટનામાં પોલીસ દ્વારા ત્‍વરિત ચાર્જશીટ દાખલ કરી કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં માધ્‍યમથી ગુનેગારને દાખલારૂપ સજા મળે એ માટે રાજ્‍યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ દ્વારા રજૂઆત કરાઈ હતી.
ઉમરગામમાં નાની બાળકી સાથે બનેલી દુષ્‍કર્મના જધન્‍ય ઘટનાના પગલે વલસાડ જિલ્લા ભાજપ સંગઠન લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા સતત આ અંગે ગુનાહની સંવેદનશીલતા દાખવી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે સંપર્કમાં રહી પીડિતા બાળકીના પરિવારને તાત્‍કાલિક ન્‍યાય મળે તે માટતે ચિંતન અને પ્રયત્‍ન કરી રહી છે. આજરોજ ગુજરાત રાજ્‍યના ગૃહરાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનીલોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રૂબરૂ મુલાકાત કરી જિલ્લા પોલીસ દ્વારા સાત દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેમજ આ કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટના માધ્‍યમથી ચલાવીને આ જધન્‍ય કળત્‍ય કરનાર આરોપીને સખતમાં સખત અને દાખલા રૂપ સજા મળે તે માટે રજૂઆત કરી હતી, આ અંગે ગૃહરાજ્‍ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે ત્‍વરિત સમય ગાળામાં આ જધન્‍ય કળત્‍ય કરનાર આરોપીને ન્‍યાયતંત્ર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

Leave a Comment