July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડના સહયોગથી શ્રી જય અંબે નવયુવક મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત છેલ્લા આઠ વર્ષથી આ મંડળો દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે પણ રક્‍તદાતાઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લેતા 278 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી તેમજ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી દિપકભાઈ મિષાી તેમજ સંજાણ પંચાયતના સરપંચશ્રી ગુલાબભાઈ ધોડી, સ્‍થાનિક આગેવાન શ્રી પ્રદીપભાઈ બુલચંદાની અને શ્રી નરેશભાઈ પરમાર વગેરેની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ભાજપા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલામંડળની કામગીરીને બિરદાવવા સાથે રક્‍તદાન માટે ઉપસ્‍થિત રક્‍તદાતાઓની પ્રશંસા કરી પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah

Leave a Comment