March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

દમણમાં થઈ રહેલા વિકાસકામોથી પ્રભાવિતઃ સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા કરી તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આજે સંઘપ્રદેશ દમણની મુલાકાત કરી હતી.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આવાસ ઉપર શુભેચ્‍છા મુલાકાત પણ કરી હતી.
દરમિયાન ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને દમણના વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું સ્‍થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં દમણના લાઈટ હાઉસ નજીક પ્રસ્‍તાવિત સી-લીંક બ્રિજ, જુપ્રિમમાં આરોગ્‍ય કેન્‍દ્ર અને રામસેતૂ સી-ફ્રન્‍ટ, જમ્‍પોરમાં એવીએરી(પક્ષીઘર) દેવકામાં નમો પથ સી-ફ્રન્‍ટ ઉપરપ્રસ્‍તાવિત કન્‍વેન્‍સન સેન્‍ટરની સાઈટનો સમાવેશ થાય છે.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આ વિકાસકામોની સરાહના કરી હતી અને આ યોજનાઓ જનતા માટે લાભાકારી હોવાનું જણાવી તેની ગુણવત્તા અને સમયસીમા ઉપર વિશેષ ધ્‍યાન આપવા અધિકારીઓને નિર્દેશ આપ્‍યા હતા. આ મુલાકાત સંઘપ્રદેશના વિકાસ અને નાગરિકોના કલ્‍યાણ પ્રત્‍યે કેન્‍દ્ર સરકારની પ્રતિબધ્‍ધતા પણ દર્શાવે છે.

Related posts

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

Leave a Comment