Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આગામી તા.7 સપ્‍ટેમ્‍બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્‍સવની ભવ્‍ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશ મહોત્‍સવ ઉપલક્ષમાં ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા 300 ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ કર્યું હતું.
સામાન્‍ય પરિવારો બાપ્‍પાની ભક્‍તિ કરી શકે તે માટે ધર્મ જાગરણ સંસ્‍થાએ ધરમપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના સેંકડો લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજીની 300 ઉપરાંત મૂર્તિઓ નિઃશુલ્‍ક અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિઓ પ્રાપ્ત કરીને લોકો ભાવ વિભોર બન્‍યા હતા. પોતાના ફળીયા કે ઘરમાં બાપ્‍પાની મૂર્તિનું સ્‍થાપન કરી આગામી દશ દિવસ ભક્‍તિમાં લીન થઈ બાપાની સેવા પૂજા, આરતી કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીએ 15 જુલાઈ સુધીમાં હયાતીનું વેરીફીકેશન કરાવી લેવું

vartmanpravah

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

Leave a Comment