July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને ફરમન બ્રહ્માની અરૂણાચલ પ્રદેશ તથા ભાનુ પ્રભાની દિલ્‍હી બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારી અજય કુમાર ગુપ્તા અને ડો. મોનિકા પ્રિયદર્શીનીનું દિલ્‍હીથી થનારૂં આગમન

દાનહ અને દમણ-દીવમાં કાર્યરત આઈ.પી.એસ. અધિકારી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલી

કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એગ્‍મૂટ કેડરના 33 આઈ.એ.એસ. અને 45 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના 3 આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આજે ભારત સરકારના ગૃહમંત્રાલયે જારી કરેલા આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની બદલીના આદેશમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નાણાં સચિવ તથા પંચાયતી રાજ સચિવ જેવા મહત્ત્વના પદે કાર્યરત 2011 બેચના આઈ.એ.એસ.અધિકારી શ્રી ગૌરવ સિંહ રાજાવત, દીવ જિલ્લાના કલેક્‍ટર 2015 બેચના શ્રીમતી ભાનુ પ્રભા અને 2019 બેચના સંઘપ્રદેશમાં સમાજ કલ્‍યાણ સચિવ તરીકે કાર્યરત શ્રી ફરમન બ્રહ્માનો સમાવેશ થાય છે. શ્રી ગૌરવ સિંહ રાજાવત અને શ્રી ફરમન બ્રહ્માને અરૂણાચલ પ્રદેશ અને શ્રીમતી ભાનુ પ્રભાની દિલ્‍હી ખાતે બદલી કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2010 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અજય કુમાર ગુપ્તા અને 2014 બેચના ડો. મોનિકા પ્રિયદર્શીનીની દિલ્‍હીથી બદલી કરવામાં આવી છે.
જ્‍યારે આઈ.પી.એસ. અધિકારીઓમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં ફરજ બજાવી રહેલા 2015 બેચના શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને 2019 બેચના શ્રી મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલીના આદેશ જારી કરાયા છે અને સંઘપ્રદેશ પ્રશાસનમાં 2013 બેચના શ્રી કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને 2016 બેચના શ્રી કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં બદલીના આદેશ કરાયા છે.

Related posts

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

વલસાડમાં નવરાત્રી મહોત્‍સવના ડુપ્‍લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

Leave a Comment