April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

આજે પ્રદેશમાં થનારા વિવિધ સેવાકીય કામો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ આવતી કાલ તા.17મી સપ્‍ટેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટોબર, 2024 સુધી સેવા પખવાડા તરીકે ઉજવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે ભાજપ સંગઠનના તમામ સ્‍તરના પદાધિકારીઓ, ચૂંટાયેલા દરેક જન પ્રતિનિધિઓ, દરેક મોરચા અને પ્રકોષ્‍ઠના પદાધિકારીઓ તથા પ્રત્‍યેક મંડળના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તાઓ પક્ષ દ્વારા નિર્ધારિત કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરશે.
આવતી કાલે સેલવાસ શહેર વિસ્‍તારના તમામ મેડિકલ સ્‍ટોરો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સન્‍માનમાં 10 ટકાનું ડિસ્‍કાઉન્‍ટ આપશે અને નરોલી મંડળમાં 2000 જેટલા ફળોના છોડનું વિતરણ કરવામાં આવશે.
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પણ અનેક સ્‍થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તંદુરસ્‍તી અને દીર્ઘાયુ માટે કામના કરવામાંઆવશે.

Related posts

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment