March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

આજે પ્રદેશમાં થનારા વિવિધ સેવાકીય કામો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ આવતી કાલ તા.17મી સપ્‍ટેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટોબર, 2024 સુધી સેવા પખવાડા તરીકે ઉજવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે ભાજપ સંગઠનના તમામ સ્‍તરના પદાધિકારીઓ, ચૂંટાયેલા દરેક જન પ્રતિનિધિઓ, દરેક મોરચા અને પ્રકોષ્‍ઠના પદાધિકારીઓ તથા પ્રત્‍યેક મંડળના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તાઓ પક્ષ દ્વારા નિર્ધારિત કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરશે.
આવતી કાલે સેલવાસ શહેર વિસ્‍તારના તમામ મેડિકલ સ્‍ટોરો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સન્‍માનમાં 10 ટકાનું ડિસ્‍કાઉન્‍ટ આપશે અને નરોલી મંડળમાં 2000 જેટલા ફળોના છોડનું વિતરણ કરવામાં આવશે.
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પણ અનેક સ્‍થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તંદુરસ્‍તી અને દીર્ઘાયુ માટે કામના કરવામાંઆવશે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

vartmanpravah

Leave a Comment