Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્‍ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ થઈ રહેલો નિરંતર સુધારો તથા દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ મેળવવા પણ મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : 1લી એપ્રિલ, 2017ના રોજથી ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું વિભાજન થઈ નવી બેંક દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની સ્‍થાપના થઈ હતી. વિભાજન દરમિયાન રૂા.102 કરોડ ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે લેવાના બાકી હતા.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાકી નિકળતા નાણાં પરત મેળવવા માટે ગોવાના મુખ્‍યમંત્રી સહિત મંત્રીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી આ મુદ્દાને કેન્‍દ્ર સરકારના સ્‍તર ઉપર પણ ઉઠાવાયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસથી ગઈકાલે બાકી નિકળતા નાણાં રૂા.3.92 કરોડ પણ દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થતાં ગોવા કો-ઓપરેટિવ બેંક પાસે નિકળતા રૂા.102 કરોડની સંપૂર્ણ રાશી મળી ચુકી છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ સુધારો થયો છે અને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ પણ દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને મળવા પામ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દમણ-દીવ સ્‍ટેટકો-ઓપરેટિવ બેંકે એડમિનિસ્‍ટ્રેટરના કુશળ માર્ગદર્શનમાં ફક્‍ત નુકસાનને જ ઓછું નથી કર્યું, પરંતુ નફામાં પણ વધારો કર્યો છે. એટલું જ નહીં પરંતુ બેંકના ઋણ અને જમાના કારોબારમાં પણ વધારો થયો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકના તમામ પેરામીટરનો પાલન કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકે દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને લાયસન્‍સ પણ જારી કર્યું છે.
અત્રે યાદ રહે કે, રૂા.102 કરોડની રાશી મળવાથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની આર્થિક સ્‍થિતિમાં ઔર વધુ સુધારો થશે જેનાથી ખાતાધારકો અને આમજનતાને તેનો ફાયદો મળશે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

દીવ જિલ્લા કલેકટર સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ બાલિકાઓ દ્વારા ‘સંઘપ્રદેશ કી વિરાસત કા દર્શન’ સૂત્ર સાથે દીવ અને ઘોઘલા સરકારી શાળાની બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શો બતાવાયો

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

Leave a Comment