April 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્‍ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ થઈ રહેલો નિરંતર સુધારો તથા દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ મેળવવા પણ મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : 1લી એપ્રિલ, 2017ના રોજથી ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું વિભાજન થઈ નવી બેંક દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની સ્‍થાપના થઈ હતી. વિભાજન દરમિયાન રૂા.102 કરોડ ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે લેવાના બાકી હતા.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાકી નિકળતા નાણાં પરત મેળવવા માટે ગોવાના મુખ્‍યમંત્રી સહિત મંત્રીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી આ મુદ્દાને કેન્‍દ્ર સરકારના સ્‍તર ઉપર પણ ઉઠાવાયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસથી ગઈકાલે બાકી નિકળતા નાણાં રૂા.3.92 કરોડ પણ દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થતાં ગોવા કો-ઓપરેટિવ બેંક પાસે નિકળતા રૂા.102 કરોડની સંપૂર્ણ રાશી મળી ચુકી છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ સુધારો થયો છે અને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ પણ દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને મળવા પામ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દમણ-દીવ સ્‍ટેટકો-ઓપરેટિવ બેંકે એડમિનિસ્‍ટ્રેટરના કુશળ માર્ગદર્શનમાં ફક્‍ત નુકસાનને જ ઓછું નથી કર્યું, પરંતુ નફામાં પણ વધારો કર્યો છે. એટલું જ નહીં પરંતુ બેંકના ઋણ અને જમાના કારોબારમાં પણ વધારો થયો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકના તમામ પેરામીટરનો પાલન કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકે દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને લાયસન્‍સ પણ જારી કર્યું છે.
અત્રે યાદ રહે કે, રૂા.102 કરોડની રાશી મળવાથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની આર્થિક સ્‍થિતિમાં ઔર વધુ સુધારો થશે જેનાથી ખાતાધારકો અને આમજનતાને તેનો ફાયદો મળશે.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

Leave a Comment