March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં પ્રવાસીઓ માટે જોવાલાયક સ્‍થળો બહુ ઓછા હતા તેમાં રામસેતૂ અને નમો પથ બાદ બીજું કંઇ ઝાઝુ નહીં હતું તેમાં હવે પક્ષીઘરનો ઉમેરો થતાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવો વિશ્વાસસાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ

vartmanpravah

Leave a Comment