Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

વાહન વેરો, ગટર વેરો અને પાણી વેરાનો વધારો ન્‍યાય વિરૂધ્‍ધ છે. 3 હજાર વાંધા અરજી આવેલ પણ કોઈને પણ સાંભળવામાં આવ્‍યા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ વેરામાં અસહ્ય તોતિંગ વધારો કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે સોમવારે માજી વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ વિવિધ માજી નગર સેવકોએ પ્રાંત અધિકારી-વહીવટદારશ્રીને કલેક્‍ટર કચેરીમાં વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું હતું.
વલસાડ નગરપાલિકા દ્વારા વાહનવેરો, પાણીવેરો અને ગટર વેરામાં તોતિંગ ભાવ વદારો કરાયો છે. કેટલાકમાં વેરાના બે બે પ્રકાર દર્શાવાયા – સફાઈ વેરો અને સેનેટરી વેરો જેવા અસંગત નિર્ણય પાલિકા દ્વારા લેવાયા છે. પાણી વેરો 660 હતો તેની જગ્‍યાએ 340 નો વધારો કરી 1 હજાર કરી દેવાયો છે. મિલકત વેરો 400 ની જગ્‍યાએ 500 કરી દેવાયો છે. મિલકત 50 રૂપિયાની હોય તોપણ વેરો 500 વસુલાશે તેવું ગીરીશભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું. વધુમાં તેઓએ જણાવ્‍યું હતુચં કે ગત 2020 માં વેરા વધારા માટે જાહેર જનતાના સુચન મંગાવેલા જે 3 હજારથી વધુ સુચન લોકોએપાલિકાને આપેલું પરંતુ કોઈને પણ સાંભળ્‍યા સિવાય એક તરફી નિર્ણય લેવાયો હતો. વિરોધ પક્ષ પૂર્વ નેતા ગીરીશભાઈ દેસાઈની સાથે પૂર્વ સભ્‍ય ઝાકીર પઠાણ, સંજય ચૌહાણ, મયંક વાડીવાલા, વિજય પટેલ અને ઉર્વશીબેન પટેલ સહિતના આગેવાનો, કલેક્‍ટર કચેરીમાં પ્રાંત અધિકારી પાલિકા વહિવટદાર આશાબેન સોલંકીની રૂબરૂ મુલાકાત સાથે રજૂઆત કરી વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

vartmanpravah

Leave a Comment