December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ગૃહ બાબતો સંબંધિત સમિતિના સભ્‍ય બનાવાયા છે.ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગૃહ બાબતોની સમિતિની યાદીમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરનું નામ સામેલ કરાયું છે. આ સમિતિમાં લોકસભાના અને રાજ્‍યસભાના સાંસદોને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની કમિટીમાં સભ્‍ય પદ મળતા દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જ્‍યારે સાંસદ શ્રી કલાબેન ડેલકરને કેન્‍દ્રીય ગૃહમંત્રાલયની કમિટીમાં મળેલા સભ્‍ય પદ બદલ દાનહવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રથમ ઈ.સી. બેઠક યોજાઈઃ વિવિધ 41 કમિટી મેમ્બરોની કરાયેલી નિયુક્તિ

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

Leave a Comment