Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરી ફેન્‍સિંગ કરવાનો લેવામાં આવેલા નિર્ણયમાં પાલિકા વહીવટની થનારી પરીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: ઉમરગામ પાલિકાની તાજેતરમાં મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરી ફેન્‍સીંગ કરવાનો સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ નિર્ણયનુ સંપૂર્ણપણે પાલન કરાવવું પાલિકાના વહીવટદારો માટે પરીક્ષાની ઘડી જેવું બની રહેશે એવું પાલિકાવાસીઓમાં જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. એનું મુખ્‍ય કારણ સરકારી જમીન ઉપર કરેલા અતિક્રમણમાં કેટલાક ચૂંટાયેલા સભ્‍યો અને રાજકીય આગેવાનોનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. ઉમરગામ પંચાયત કાળ દરમિયાનમાં આવેલી સરકારી જમીન ઉપર દુકાનનું નિર્માણ કરવામાં આવેલું છે તેમજ રહેઠાણ મકાન પણ જોવા મળી રહ્યા છે. આ દુકાનોનું ક્ષેત્રફળ ફાળવણીના માપ કરતા બમણું છે તેવી જ રીતે રહેઠાણ માટે ફાળવવામાં આવેલી જમીન કરતા ત્રણ ગણો વધારે કબ્‍જે કરેલું હોવાનું પાલિકા વાસીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. આ પ્રમાણેનાઅતિક્રમણમાં પાલિકાના ચૂંટાયેલા સભ્‍યો અને રાજકીય આગેવાનોનો સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે જેની સામે પગલાં ભરવા પાલિકા માટે પરીક્ષાની ઘડી બની રહેશે એમાં બે મત નથી.
આ ઉપરાંત ઉમરગામ પાલિકાએ એક વર્ષ અગાઉ ડીઆઇએલઆરના અધિકારીઓ પાસે સર્વે નંબર 3107 (જૂનો 279)ની માપણી કરાવી હતી જેમાં માપણી કરતા સ્‍થળ ઉપર 1214 સ્‍ક્‍વેર મીટરની જગ્‍યાએ માત્ર 550 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ખાલી છે અને બાકીની જગ્‍યા ઉપર અતિક્રમણ થયેલાનું તારણ બહાર આવ્‍યું હતું. આ માપણી બાદ આજુબાજુના અતિક્રમણ કરનારાઓ સામે આજ દિન સુધી પગલા ભરાયા નથી. આમ આરંભે સુરા બનેલી પાલિકા પાછળથી શાંત પડી જવા પામી હતી. જે મુદ્દો આજે પણ અડીખમ છે. હવે પાલિકા પાસે માળખાકીય સુવિધા ઉભી કરવા માટે સરકારી જમીનનો અભાવ હોવાની ચાલતી ચર્ચા વચ્‍ચે અતિક્રમણ કરનારાઓ ઉપર કેવા પગલાં ભરે એ જોવું રહ્યું.

Related posts

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

Leave a Comment