March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાનને સફળ બનાવવા આંટિયાવાડના લોકોને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ ઝુંબેશમાં જોડાવા અને પોતાના ઘર તેમજ આજુબાજુના વિસ્‍તારની નિયમિતસાફ-સફાઈ કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે ગરીબ સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કર્યુ હતું. આ અવસરે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓ સાથે અભ્‍યાસ અંગે વાતો પણ કરી હતી. સરપંચશ્રીએ માતાની જેમ વિદ્યાર્થીઓને દરેક સ્‍થળે સ્‍વચછતા જાળવવા તેમજ અભ્‍યાસ વિશે વિશેષ સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ જોડે વાતચીતમાં તેમનાં ઘરે તેમજ શાળામાં કરવામાં આવતી સાફ-સફાઈ વિશે જાણીને સંતોષ પણ અનુભવ્‍યો હતો.
આ ઉપરાંત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને આરોગ્‍યની જાળવણી અંગેની પણ મહત્ત્વની વાતી સમજાવી હતી. દરમિયાન શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને લંચ બૉક્‍સ, વૉટર બૉટલ, ટુથપેસ્‍ટ, ટૂથબ્રશ, સાબુ વગેરેની આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કર્યુ હતું. સરપંચશ્રીના સુપુત્ર ચિ. નિયાન જયેશભાઈ પટેલે પણ પોતાના હસ્‍તે વિદ્યાર્થીઓને જરૂરી કિટનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે હાઈજિન કિટ પામીને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આંટિયાવાડના રહેવાસીઓને ‘સ્‍વચ્‍છતા હી સેવા-2024′ અંતર્ગત અભિયાનમાં જોડાવા અને પોતાના ઘર, દુકાન,મકાન, ચાલીઓ તેમજ ઉદ્યોગોમાં નિયમિત સાફ-સફાઈ કરી સ્‍વચ્‍છતા રાખવાની હાકલ કરી હતી.

Related posts

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

વાપીના છીરી રામનગરમાં ખખડધજ રોડથી લોકોને છૂટકારો મળશે : આર.સી.સી. રોડ બનાવાની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment