Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

મોટી દમણના જમ્‍પોર ખાતે શરૂ કરાયેલા પક્ષીઘરની એક જ દિવસમાં હજાર કરતા વધુ પ્રવાસીઓ સહિત સ્‍થાનિકોએ લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : મોટી દમણના જમ્‍પોર ખાતે આજે સત્તાવાર રીતે પક્ષીઘર પ્રજા માટે ખોલાતા પહેલાં જદિવસે હજારો લોકોએ પક્ષીઘરની મુલાકાત લીધી હતી. મોટી દમણમાં પ્રવાસીઓનું નવું નજરાણું બનેલ પક્ષીઘરના આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્‍ટ ટેસ્‍ટિનેશન ઉભું થયું છે.
આજે સંઘપ્રદેશની શાળાના વિદ્યાર્થીઓ, સ્‍થાનિક લોકો સહિત હજારોની સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરેકે જાતજાતના ભાતભાતના દેશી સહિત વિદેશી પક્ષીઓને નિહાળી આヘર્યચકિત બન્‍યા હતા. પ્રશાસને શરૂ કરેલા દીર્ઘદૃષ્‍ટિ ભરેલા પક્ષીઘરના નિર્માણથી ફક્‍ત પ્રવાસીઓને જ વેગ નથી મળી રહ્યો, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવો વિશ્વાસ પ્રગટ થયો છે.

Related posts

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

vartmanpravah

Leave a Comment