September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં રાષ્‍ટ્રીય સેવા યોજના અંતર્ગત તા.02-10-2024 ના સુત્ર હેઠળ ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છ, સંસ્‍કાર સ્‍વચ્‍છ” અંતર્ગત ઉદવાડા ખાતે દરિયા કિનારાની સ્‍વચ્‍છથાનું અભિયાન કર્યું હતું. જેમાં સદર કોલેજના એન.એસ.એસ.ના સ્‍વયં સેવકો/ સેવિકાઓએ ખુબ જ ખંતથી અને સક્રિય રીતે સ્‍વચ્‍છતાના કાર્યમાં ભાગ લઈ કચરો તથા પ્‍લાસ્‍ટીકને દૂર કરીને દરિયા કિનારાની સાર્વજનિક જગ્‍યાએ સ્‍વચ્‍છ કરતા આજુબાજુના લોકોએ સ્‍વચ્‍છતા માટે જાગૃતતા દર્શાવી હતી. આમ કેવળ સ્‍વચ્‍છ કરવુ એટલુ જ નહિ પણ સ્‍વચ્‍છતા જાળવવા માટે પણ પ્રેરણા આપીને જાહેર સ્‍થળ સ્‍વચ્‍છ તો આપણુ સ્‍વાસ્‍થ્‍ય સ્‍વચ્‍છ રહેથે તથા આવનાર પેઢી માટે પણ સ્‍વચ્‍છ અને શુધ્‍ધ વાતાવરણ મળશે તેની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્‍ટીગણે સમગ્ર સ્‍વયં સેવિકાનો આભાર વ્‍યક્‍ત કરી સમાજમાં સ્‍વચ્‍છતાની જાગૃતતા લાવવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં દિવાળી પૂર્વે તલાટીઓની થયેલી બદલીઓમાં કેટલાક વગદારોને આજુબાજુ પસંદગીની જગ્‍યાએ નિમણૂંકના મુદ્દે શરૂ થઈ રહેલો કચવાટ

vartmanpravah

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

Leave a Comment