Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 10

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહમંત્રાલયે સ્‍વીકાર કરી તેમની કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍તિ કરી હોવાનો ઓફિસ મેમોરેન્‍ડમ આજે ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે.

દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે શ્રી સંદીપ કુમાર સિંઘને પ્રશાસન દ્વારા રિલીવ કરાયા બાદ તેઓ પોતાની નવી જવાબદારી સંભાળશે.

શ્રી સંદીપ કુમાર સિંઘને સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર રિલીવ કરવો પડશે. કારણ કે, જો ત્રણ સપ્તાહની અંદર રિલીવ નહીં કરાયા તો કાર્મિક અને તાલીમ વિભાગના તા.17મી ઓગસ્‍ટ, 2005ના સરક્‍યુલર મુજબ સેન્‍ટ્રલ સ્‍ટાફિંગ સ્‍કીમની પ્રક્રિયામાંથી તેમને દૂર કરવામાં આવશે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

Leave a Comment