April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

સંઘપ્રદેશ પ્રશાસન ગરીબ, સામાન્‍ય કામદારોનું શોષણ કરતી લેભાગુ કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરે એવી ઉઠેલી બુલંદ માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલીના નરોલી ગામ ખાતે ચેકપોસ્‍ટ નજીક આવેલ ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિમિટેડ કંપનીના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા, જેઓએ જણાવ્‍યું હતું કે અમે લોકો છેલ્લા દસ વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહ્યા છીએ. છતાં પણ કંપની સંચાલકો દ્વારા અત્‍યાર સુધી એકપણ વખત પગાર વધારો કર્યો નથી. જ્‍યારે અમે પગાર વધારવા માટે વાત કરીએ છીએ તો 20થી વધુ કર્મચારીઓને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્‍યા છે.
કામદારોના જણાવ્‍યા પ્રમાણે કંપની અમારા પાસે લઘુત્તમ વેતનધારાથી ઉપરવટ જઈ વધુ કામ કરાવે છે. અને જે કામદારોને કાઢી મુકવામાં આવ્‍યા છે તેઓએ બાકી પગાર બાબતે અરજ કરી તો કંપની સંચાલકો દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્‍યો નથી. કામદારોએ વધુમાં જણાવ્‍યું છે કે, અમને ન્‍યાય નહીં મળશે તો અમે છેલ્લે લેબર ઓફિસ અને ઉચ્‍ચ કક્ષાએ પણ ફરિયાદ કરીશું અને ન્‍યાય માટે લડત ચલાવીશું. તે પહેલાં સંઘપ્રદેશ પ્રશાસન પણ આ તરફ ધ્‍યાન આપે અને ગરીબ સામાન્‍ય કામદારોને યોગ્‍ય ન્‍યાય અપાવે એવી અમારી નમ્ર અરજ છે.

Related posts

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment