March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનો આરંભ

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્દઘાટન : સુરત કોસ્‍મીક પીવી પાવર લી.ની સોલર પેનલ વિતરણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપીમાં રવિવારે નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો હતો. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે મહાવીર સોલર એનર્જીસ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.
આ નવિન સાહસ વાપીના સમાજ સેવી લલીતજી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મોદી સરકારની સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવાની નિતિને ધ્‍યાનમાં રાખી મહાવીર સોલર એનર્જીસનો પ્રારંભ કરાયો છે. જે સુરતની કોસ્‍મીક પાવર લીમીટેડ સોલરપેનલનું વિતરણ કરવામાં આવશે. કંપની ડાયરેક્‍ટર શ્રવણ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, કંપની સોલર પેનલ ઉત્‍પાદનમાં અગ્રેસર છે. 5 હજાર ઘરો અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પ્રસ્‍થાપિત થઈ ચૂકી છે. સરકારની સબસીડીને કારણે લોકો સોલર પેનલ લગાવી વીજબીલમાં નોંધપાત્ર બચત કરી રહ્યા છે. ઉપસ્‍થિત મહાનુભાવોએ પ્રયાસને બિરદાવી જણાવ્‍યું હતું કે, વાપીને ગ્રીન સીટી બનાવવાના પ્રયાસને શુભેચ્‍છા આપી હતી. હવે વાપી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સોલર એનર્જી સિસ્‍ટમ સુલભ બનશે.

Related posts

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment