Vartman Pravah
Breaking NewsOtherવલસાડ

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પુલ પરનો વાહનવ્‍યવહાર બંધ-ઉપરવાસમાં પડલે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં અપાયું એલર્ટ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13
આવનારા ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે.12મી સપ્‍ટેમ્‍બરે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 16 સપ્‍ટેમ્‍બર સુધી રાજ્‍યભરમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.
આ દિવસો દરમિયાન સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત કચ્‍છ, ભાવનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તંત્ર સાવધ બન્‍યું છે.
વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદીનો પુલ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાનાઆગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્‍યો છે.
વલસાડ જિલ્લાના છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે અને આગામી એક સપ્તાહમાં અતિ ભારે વરસાદની આગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મુકાયું છે. ત્‍યારે વલસાડ શહેરના કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પરનું બ્રિજ બંધ કરાવી દેવામાં આવ્‍યું હતું.
આજરોજ વલસાડ મામલતદારની ટિમ ઔરંગા નદી કિનારે પહોંચી પાણીની સપાટી અને પાણીનું વેવ પ્રમાણે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાય એમ હોય જેને પગલે ઔરંગા નદી પુલ પરનું વાહનવ્‍યવહાર બંધ કરી દેવામાં આવ્‍યું હતું અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

vartmanpravah

કરોડોનો ટોલ ટેક્‍સ ભરો અને ખાડામાં પડો એવી સ્‍થિતિ છે ચીખલીના હોન્‍ડ ગામના હાઈવે પુલની

vartmanpravah

વલસાડના ટંડેલ પરિવાર માટે સરકારની મહત્‍વાકાંક્ષી 3 યોજના વરદાનરૂપ સાબિત થઈ: કોરોનાકાળથીઅત્‍યાર સુધી સરકારી અનાજ જ જીવન જીવવાનો આધાર બન્‍યોઃ લાભાર્થી નરેશભાઈ

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment