October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherવલસાડ

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પુલ પરનો વાહનવ્‍યવહાર બંધ-ઉપરવાસમાં પડલે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં અપાયું એલર્ટ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13
આવનારા ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે.12મી સપ્‍ટેમ્‍બરે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 16 સપ્‍ટેમ્‍બર સુધી રાજ્‍યભરમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.
આ દિવસો દરમિયાન સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત કચ્‍છ, ભાવનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તંત્ર સાવધ બન્‍યું છે.
વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદીનો પુલ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાનાઆગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્‍યો છે.
વલસાડ જિલ્લાના છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે અને આગામી એક સપ્તાહમાં અતિ ભારે વરસાદની આગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મુકાયું છે. ત્‍યારે વલસાડ શહેરના કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પરનું બ્રિજ બંધ કરાવી દેવામાં આવ્‍યું હતું.
આજરોજ વલસાડ મામલતદારની ટિમ ઔરંગા નદી કિનારે પહોંચી પાણીની સપાટી અને પાણીનું વેવ પ્રમાણે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાય એમ હોય જેને પગલે ઔરંગા નદી પુલ પરનું વાહનવ્‍યવહાર બંધ કરી દેવામાં આવ્‍યું હતું અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્‍યો હતો.

Related posts

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

Leave a Comment