June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

નવરાત્રી-દશેરા સુધી માતાજીની સેવા અર્ચના પૂજા કરી અગિયારના દિવસે વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી શહેરમાં નવરાત્રી મહોત્‍સવ અતિ ઉત્‍સાહ, આનંદ અને શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ ઉજવણી પૂર્ણ કરી છે. શહેરમાં ગણેશજીની માફક અનેક જગ્‍યાએ દુર્ગામાતાજીની કલાત્‍મક ભવ્‍ય મૂર્તિઓની સ્‍થાપના પણ કરવામાં આવી હતી. વાપી શાકભાજી માર્કેટ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કર્યું હતું. જેમાં દુર્ગામાતાજીની મૂર્તિની વિધિ વિધાન પૂર્વક સ્‍થાપના કરી હતી. દશેરા સુધી માતાજી નિયમિત આરતી-પૂજા, અર્ચના આરાધના ભાવિકો દ્વારા ભાવ પૂર્વક કરવામાં આતી હતી. સોમવારે સાંજના ભવ્‍ય વિસર્જન યાત્રા યોજાઈ હતી. જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
વાપી શહેરમાં નવરાત્રીની ઉજવણી લોકો દ્વારા આસ્‍થા પૂર્વક પૂર્ણ કરી હતી. વાપી શાકભાજી માર્કેટમાં દુર્ગા માતાજીની સ્‍થાપના કરાઈ હતી. સોમવારે માતાજીની ભવ્‍ય વિસર્જન યાત્રા નિકળી હતી. ડી.જે. અનેઢોલ નગારા, ત્રાંસાના તાલે વિસર્જન યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને સાંજે માતાજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, શાકભાજી વેપારી મિત્ર મંડળ ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીનું પ્રતિ વર્ષે ભવ્‍ય આયોજન કરે છે.

Related posts

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આઈ.પી.એસ.-2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ લીધેલી મુલાકાત: પ્રશાસકશ્રીને નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ આપેલી સ્‍મૃતિ ભેટ

vartmanpravah

Leave a Comment