September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)ના કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા શર્મા અને એસ.વી.નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજી-સુરતના રિજનલ કો-ઓર્ડીનેટીંગ ઇન્‍સ્‍ટિટયૂટના સહયોગથી યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કેન્‍દ્ર આરંભ કરાયેલા ‘‘ઉન્નત ભારત અભિયાન”ને વધુ પ્રોત્‍સાહન આપવાના હેતુથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી ખાતે આવેલી ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં આજે મંગળવારના રોજ એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અત્રે યાદ રહે કે, ‘‘ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)” એ ગ્રામીણ વિસ્‍તારોના વિકાસ માટે મહત્ત્વનું છે. જેથી યુ.બી.એ. કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા શર્મા અને એસ.વી.નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજી-સુરતના રિજનલ કો-ઓર્ડીનેટિંગ ઇન્‍સ્‍ટિટયૂટના સહયોગથી દાનહના ડોકમરડી ખાતે આવેલી ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે એસ.વી.એન.આઈ.ટી. સુરતના આર.સી.આઈ.યુ.બી.એ.કો-ઓર્ડીનેટર ડૉ. કૃપેશ ચૌહાણ તથા સભ્‍ય ડૉ. પિનાલ એન્‍જિનિયર, ડૉ. આદિત્‍ય કોન્‍ટ્રાક્‍ટર અને શ્રી શ્‍યામ રંગરેજ વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે વિશેષ અતિથિશ્રીઓએ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતા ‘‘ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)”ની યોજનાઓ, તેના લાભો અને પ્રક્રિયા અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમથી કોલેજના વિદ્યાર્થીઓને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે યોગદાન આપવાની શક્‍યતાઓ સમજવા અને યુ.બી.એ.ના વિવિધ પાસાઓને સમજવામાં ઉપયોગી માહિતી મળી રહેશે જેનાથી તેઓને ભવિષયના કાર્યમાં મદદ મળશે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય શ્રી ભગવાનજી ઝા, પ્રોફેસરો, આમંત્રિત મહેમાનો તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment