September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ગુજરાત સાથે જોડતી ડોકમરડી બોર્ડર પર દાનહ પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેને કોઈક ટીખળખોર અસામાજિક તત્‍વોએ આજે ધ્‍વંસ્‍ત કરી રસ્‍તા સહિત અન્‍ય બાંધકામ કરી અડિંગો જમાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના 66 કેવીએ રોડથી ડોકમરડી તરફ ગુજરાતના કરમખલ પંચાયત હસ્‍તક આવતા દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર દાનહ જિલ્લાના પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં આ જગ્‍યા પર ગુજરાતના કેટલાક અસામાજીક તત્‍વો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાનૂની રીતે કબ્‍જો કરી લીધો છે, અને બોર્ડરમાટે ઉભી કરવામાં આવેલ દિવાલને તોડી એ જગ્‍યા પર બાંધકામ પણ કરી દેવામાં આવ્‍યું છે. સાથે ત્‍યાંથી પસાર થવા માટે રસ્‍તો પણ બનાવી દીધો છે. પરંતુ આ સમગ્ર ઘટનાથી દાનહ જિલ્લા પ્રશાસન અજાણ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. માટે દાનહ પ્રશાસન આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરે એ સમયનો તકાજો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના કરમખલ પંચાયતમાં પણ ફક્‍ત ઘર નંબર પડાવી તેની અંદર ફેક્‍ટરીઓ તાણી દેવામાં આવી હોવાનું નજરે પડે છે. તેથી ગુજરાતની કરમખલ પંચાયત પણ તેમની સત્તા પ્રમાણે જવાબદાર અસામાજિક તત્‍વો સામે કડક કાનૂની પગલાં ભરે એ જરૂરી છે.

Related posts

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

Leave a Comment