October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ગુજરાત સાથે જોડતી ડોકમરડી બોર્ડર પર દાનહ પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેને કોઈક ટીખળખોર અસામાજિક તત્‍વોએ આજે ધ્‍વંસ્‍ત કરી રસ્‍તા સહિત અન્‍ય બાંધકામ કરી અડિંગો જમાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના 66 કેવીએ રોડથી ડોકમરડી તરફ ગુજરાતના કરમખલ પંચાયત હસ્‍તક આવતા દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર દાનહ જિલ્લાના પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં આ જગ્‍યા પર ગુજરાતના કેટલાક અસામાજીક તત્‍વો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાનૂની રીતે કબ્‍જો કરી લીધો છે, અને બોર્ડરમાટે ઉભી કરવામાં આવેલ દિવાલને તોડી એ જગ્‍યા પર બાંધકામ પણ કરી દેવામાં આવ્‍યું છે. સાથે ત્‍યાંથી પસાર થવા માટે રસ્‍તો પણ બનાવી દીધો છે. પરંતુ આ સમગ્ર ઘટનાથી દાનહ જિલ્લા પ્રશાસન અજાણ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. માટે દાનહ પ્રશાસન આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરે એ સમયનો તકાજો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના કરમખલ પંચાયતમાં પણ ફક્‍ત ઘર નંબર પડાવી તેની અંદર ફેક્‍ટરીઓ તાણી દેવામાં આવી હોવાનું નજરે પડે છે. તેથી ગુજરાતની કરમખલ પંચાયત પણ તેમની સત્તા પ્રમાણે જવાબદાર અસામાજિક તત્‍વો સામે કડક કાનૂની પગલાં ભરે એ જરૂરી છે.

Related posts

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

વાંસી-બોરસીમાં પીએમ મિત્ર પાર્ક કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારી, જલાલપોરના ધારાસભ્‍ય આર.સી.પટેલે કર્યુ નિરિક્ષણ

vartmanpravah

Leave a Comment