April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવાના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત ચેન્‍જઇંક ફાઉન્‍ડેશનના સહયોગથી, ઇન્‍ટરનેશનલ ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે જાગૃતિ લાવવા #Go Red થીમ હેઠળ 27 ઓક્‍ટોબર 2024ની સાંજથી દમણના આઇકોનિક લાઇટ હાઉસને લાલ રોશનીથી પ્રકાશિત કરાયો છે. અત્રે યાદ રહે કે, ડિસ્‍લેક્‍સિયા એ એક પ્રકારની અદ્રશ્‍ય
વિકલાંગતા છે જેમાં વ્‍યક્‍તિને શબ્‍દો વાંચવામાં, લખવામાં અને બોલવામાં તેમજ શબ્‍દો યાદ રાખવામાં અને જાળવી રાખવામાં તકલીફ પડે છે. ડિસ્‍લેક્‍સિયા તેના અદ્રશ્‍ય સ્‍વભાવને કારણે વારંવાર નિદાન થતું નથી.
મોટી દમણ જેટી સ્‍થિત લાઈટ હાઉસ(દીવાદાંડી)ને લાલ કરવાનો હેતુ વાલીઓને ડિસ્‍લેક્‍સિયા વિશે જાગૃતિ લાવવાનો, ગેરસમજોને દૂર કરવાનો અને ડિસ્‍લેક્‍સિયા ધરાવતી વ્‍યક્‍તિઓ માટે સમજણ અને સમર્થનને પ્રોત્‍સાહિત કરવાનો છે.
આ સમસ્‍યાના નિરાકરણ માટે, સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે શિક્ષણ સચિવ ડૉ. અરુણ ટી. અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ સક્રિય પગલાં લીધાં છે.શિક્ષણ વિભાગે સમગ્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં 1,300થી વધુ સરકારી શાળાના શિક્ષકો માટે ડિસ્‍લેક્‍સિયા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ અને સ્‍ક્રીનિંગ પર તાલીમ હાથ ધરી હતી. અદૃશ્‍ય વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા માટે શિક્ષણ વિભાગ ચેન્‍જઇંક સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે.

Related posts

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

Leave a Comment