March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવાના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત ચેન્‍જઇંક ફાઉન્‍ડેશનના સહયોગથી, ઇન્‍ટરનેશનલ ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે જાગૃતિ લાવવા #Go Red થીમ હેઠળ 27 ઓક્‍ટોબર 2024ની સાંજથી દમણના આઇકોનિક લાઇટ હાઉસને લાલ રોશનીથી પ્રકાશિત કરાયો છે. અત્રે યાદ રહે કે, ડિસ્‍લેક્‍સિયા એ એક પ્રકારની અદ્રશ્‍ય
વિકલાંગતા છે જેમાં વ્‍યક્‍તિને શબ્‍દો વાંચવામાં, લખવામાં અને બોલવામાં તેમજ શબ્‍દો યાદ રાખવામાં અને જાળવી રાખવામાં તકલીફ પડે છે. ડિસ્‍લેક્‍સિયા તેના અદ્રશ્‍ય સ્‍વભાવને કારણે વારંવાર નિદાન થતું નથી.
મોટી દમણ જેટી સ્‍થિત લાઈટ હાઉસ(દીવાદાંડી)ને લાલ કરવાનો હેતુ વાલીઓને ડિસ્‍લેક્‍સિયા વિશે જાગૃતિ લાવવાનો, ગેરસમજોને દૂર કરવાનો અને ડિસ્‍લેક્‍સિયા ધરાવતી વ્‍યક્‍તિઓ માટે સમજણ અને સમર્થનને પ્રોત્‍સાહિત કરવાનો છે.
આ સમસ્‍યાના નિરાકરણ માટે, સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે શિક્ષણ સચિવ ડૉ. અરુણ ટી. અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ સક્રિય પગલાં લીધાં છે.શિક્ષણ વિભાગે સમગ્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં 1,300થી વધુ સરકારી શાળાના શિક્ષકો માટે ડિસ્‍લેક્‍સિયા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ અને સ્‍ક્રીનિંગ પર તાલીમ હાથ ધરી હતી. અદૃશ્‍ય વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા માટે શિક્ષણ વિભાગ ચેન્‍જઇંક સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે.

Related posts

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

પારડી એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનું સેમેસ્‍ટર-6 નું 90 ટકા પરિણામ જાહેર થયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment