April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ડિજિટલ યુગનો જમાનો હોવા છતાં પણ વેપારીઓ દ્વારા ચોપડાઓમાં કાચી નોંધ રાખવામાં આવતી હોયછે, જેને લઈને વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે કોમ્‍પ્‍યુટરમાં જો કોઈ પ્રોબ્‍લમ થાય તો ડેટા ગુમ થઈ જાય છે જેથી જો ચોપડાઓમાં નોંધ રાખવામાં આવે તે સહેલાઈથી મળી રહે.
સેલવાસના કિરણ બુક સ્‍ટોરના માલિકના જણાવ્‍યા અનુસાર કેટલીક કંપનીવાળાઓ તેમજ જુના વેપારીઓ અને નાના વેપારીઓ ખાસ ચોપડાઓની ખરીદી કરે છે. આમ આજે ધનતેરસના પર્વએ આખો દિવસ વેપારીઓ વિવિધ ખાતાવહીઓ જેવી ચોપડાની ખરીદી કરતા નજરે પડયા હતા.

Related posts

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment