April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ-અનાથ કન્‍યાઓ માટે કન્‍યાદાન સહાય અર્થે તેમજ સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રખર ભાગવતાચાર્ય અને વક્‍તા પૂજ્‍ય શ્રીદેવુભાઈ જોષી (ખેરગામવાળા) તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ તા.15મી નવેમ્‍બર, 2024 કરાશે જે 21મી નવેમ્‍બર, 2024 સુધી દરરોજ ચાલશે. કથાનો સમય બપોરે 2:00 વાગ્‍યાથી સાંજના 5:00 વાગ્‍યાનો રહેશે. કથાના શુભારંભ પહેલાં પોથીયાત્રા શ્રી હેમંતભાઈ સુર્યકાંતભાઈ પટેલ-સરસ્‍વતી ચોક,ગાયત્રી મંદિરની બાજુમાં, આમલી- સેલવાસના નિવાસસ્‍થાનેથી બપોરે બે વાગ્‍યે નીકળશે અને કથા સ્‍થળે પહોંચશે.
આયોજકો દ્વારા આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

અતુલ બિનવાડા ગામે પેટ્રોલ પમ્‍પ પાસે બે દિપડા હરતા ફરતા સીસીટીવી કેમેરામાં દેખાયા

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્‍માતમાં બે ના મોત નિપજ્‍યા

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

Leave a Comment