December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ-અનાથ કન્‍યાઓ માટે કન્‍યાદાન સહાય અર્થે તેમજ સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રખર ભાગવતાચાર્ય અને વક્‍તા પૂજ્‍ય શ્રીદેવુભાઈ જોષી (ખેરગામવાળા) તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ તા.15મી નવેમ્‍બર, 2024 કરાશે જે 21મી નવેમ્‍બર, 2024 સુધી દરરોજ ચાલશે. કથાનો સમય બપોરે 2:00 વાગ્‍યાથી સાંજના 5:00 વાગ્‍યાનો રહેશે. કથાના શુભારંભ પહેલાં પોથીયાત્રા શ્રી હેમંતભાઈ સુર્યકાંતભાઈ પટેલ-સરસ્‍વતી ચોક,ગાયત્રી મંદિરની બાજુમાં, આમલી- સેલવાસના નિવાસસ્‍થાનેથી બપોરે બે વાગ્‍યે નીકળશે અને કથા સ્‍થળે પહોંચશે.
આયોજકો દ્વારા આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

Leave a Comment