April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્‍ય રહેણાંક વિસ્‍તારમાં અવાર નવાર આવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરતા રહે છે તેવી ઘટના ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં બની હતી.
ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં એક દિવસ પહેલાં કદાવર દિપડો આવ્‍યો હતો. દિપડાએ પશુઓના વાડામાં એક બકરાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા લોકોએ સરપંચને જણાવ્‍યું હતું. સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે હનુમતમાળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં દિપડાની અવર જવરના ચિન્‍હો જોવા મળતા તાત્‍કાલિક પાંજરૂ ગોઠવ્‍યું હતું. રાબેતા મુજબ બીજા દિવસે શિકારી દિપડો ફરી શિકાર કરવા ગામમાં આવતા પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરામાં દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment