September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

હાલ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા શશાંકે દુબઈમાં આયોજીત વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપીમાં વસતા પિતા સુંદરલાલ જૈને અને માતા સંગંતા જૈનનો 22 વર્ષિય પૂત્ર યુવા ગણિત શાષાી શશાંક જૈને 6 અંકની સંખ્‍યાઓના વર્ગમૂળની ગણતરીમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્‍યો છે. 7 નવેમ્‍બરે શારજાહ યુ.એ.ઈ.માં આયોજીત આંતર રાષ્‍ટ્રીય 2024 વર્લ્‍ડ મેન્‍ટલ સ્‍પોર્ટ્‍સ ઓલિમ્‍પિક 2024માં મેન્‍ટલ મલ્‍ટીપ્‍લિકેશન અને મેન્‍ટલસ્‍કવેર રૂટમાં ગોલ્‍ડ મેડલ અને મેન્‍ટલ ડિવિઝનમાં બ્રોન્‍ઝ મેડલ મેળવી વાપી સહિત ભારતનું નામ રોશન કર્યું છે.
યુએઈ શારજાહમાં આયોજીત આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં માત્ર 27:36 સેકન્‍ડમાં શશાંકે આ સિધ્‍ધિ હાંસલ કરી હતી. નોંધનીય છે કે, તેનો પોતાનો જ અગાઉનો 61:34 સેકન્‍ડનો રેકોર્ડ તોડયો હતો. આ ઓલિમ્‍પિકમાં ભારત સહિત 40 દેશના 150 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. ઓસ્‍ટ્રેલીયામાં અભ્‍યાસ દરમિયાન છુટ્ટી લઈ સ્‍પર્ધામાં ભાગ લેવા દુબઈ પહોંચ્‍યો હતો. સ્‍પર્ધામાં ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવી ભારત આવી વાપીમાં રહેતા માતા-પિતાને સરપ્રાઈઝ આપી હતી. પરિવારે ખુશી વધાવી લીધી હતી. પ્રારંભથી જ માતા-પિતા અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરતા હતા તેવું શશાંકે જણાવ્‍યું હતું. શશાંકે 8 અંકની સંખ્‍યાઓના વર્ગમૂળની ગણતરીમાં 85.69 સેકન્‍ડમાં બીજો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. વાપીમાં રહેતો જૈન પરિવાર મૂળ રાજસ્‍થાન ઉદયપુરનો વાપીમાં પિતા પ્રતિષ્‍ઠિત વેપારી છે. શશાંકે આજના યુગમાં સૌથી ઝડપી માનવ કેલ્‍ક્‍યુલેટર તરીકેની નામના મેળવી છે.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરે રજત જયંતિ નિમિત્તે 2525 વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

Leave a Comment