April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશવાપી

દમણના ડાભેલ-આંટિયાવાડ વિસ્‍તારમાં મંગળવારની રાત્રિએ હત્‍યાની બનેલી ઘટના: પડોશની ચાલીમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીરે તિક્ષ્ણ હથિયાર વડે કરેલી હત્‍યા

27 વર્ષિય પરપ્રાંતિય યુવાન વાપીની કોઈક કંપનીમાં કામ કરતો અને આંટિયાવાડની એક ચાલીમાં રહેતો, જ્‍યાં પડોશમાં રહેતા એક પરિવાર સાથે રોજ ઝઘડો કરતો હોવાથી કંટાળીને સગીરે હત્‍યા કરી હોવાનું પડોશીઓનું અનુમાન

દાભેલ પોલીસે એફ.આઈ.આર. નોંધી હાથ ધરેલી વધુ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : નાની દમણના આંટિયાવાડમાં એક ગંભીર હત્‍યાનો કેસ સામે આવવા પામ્‍યો છે, જેમાં એક લગભગ 15 વર્ષિય સગીરે 27 વર્ષિય યુવાન નઈમ ખાનની કાતર(કૈંચી) જેવા તિક્ષ્ણ ધારવાળા હથિયાર વડે હૂમલો કરી હત્‍યા નિપજાવી હોવાની ચકચારી ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નઈમ ખાન(આશરે ઉ.વ.27) જે મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ અને હાલમાં વાપીની એક કંપનીમાં કામ કરી રહ્યો હતો. જે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના દાભેલ-આંટિયાવાડ વિસ્‍તારની એક ચાલીમાં તેના મિત્ર સાથે રહેતો હતો. મંગળવારની રાત્રિના લગભગ 9:30 વાગ્‍યાના અરસામાં જ્‍યારે નઈમ ખાન પોતાના રૂમ પર આવ્‍યો તો પડોશમાં રહેતા સગીરની સાથે કોઈક કારણોસર ઝઘડો થયો હતો. જોતજોતાંમાં ઝઘડો વધુવણસ્‍યો હતો અને સગીરે ગુસ્‍સામાં આવીને કાતર જેવા કોઈક તિક્ષ્ણ ધારવાળા હથિયારથી નઈમ ખાન ઉપર 12 કરતાં વધુ વાર કરી દીધાં. લોહીથી લથપથ નઈમ ખાન ઘટનાસ્‍થળ ઉપર જ ઢળી પડયો.
તાત્‍કાલિક આ ઘટનાની જાણકારી પાડોશીઓએ દમણ પોલીસને આપી. દાભેલ પોલીસ મથકની ટીમ ઘટના સ્‍થળે દોડી પહોંચી ગઈ હતી અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સની મદદથી ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત નઈમ ખાનને મોટી દમણના સી.એચ.સી. હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો, જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે સગીરની ધરપકડ કરી અને તેની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક અને આરોપીના પરિવારના નિવેદનો પણ પોલીસે નોંધી લીધાં હતા. વલસાડથી એફ.એસ.એલ.ની ટીમે પણ સ્‍થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પાડોશી રહેવાસીઓના જણાવ્‍યા પ્રમાણે નઈમ ખાન લાંબા સમયથી સગીરના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો હતો અને હંમેશા ગાળ-ગલોચ કરતો હતો. મંગળવારની રાત્રિના વિવાદનું કારણ પણ આજ હોઈ શકે છે એમ માનવામાં આવી રહ્યું છે. દમણમાં હત્‍યા જેવી ગંભીર ઘટના બાદ પણ દમણ પોલીસ ગંભીર નહીં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે, પોલીસે એફ.આઈ.આર. નોંધી લીધી છે અને ઘટનાની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જેમાં પોલીસે પ્રત્‍યક્ષદર્શીઓનાનિવેદન લેવામાં આવી રહ્યા છે જેથી હત્‍યાનું સાચું કારણ જાણી શકાય.

Related posts

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

Leave a Comment