October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત આજે છઠ્ઠા દિવસે ખુબ જ આનંદ, ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
‘જનજાતિય ગૌરવ દિવસ’ના કાર્યક્રમ હેઠળ શિક્ષકોએ શાળાઓમાં પ્રસિદ્ધ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિ પર આધારિત નાટકનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી.
વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે, ભગવાન બિરસા મુંડા એક ભારતીય આદિવાસી સ્‍વતંત્રતા સેનાની અને મુંડા જનજાતિના લોક નાયક હતા. તેમણે બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીના અંતમાં ઝારખંડમાં થયેલા આદિવાસી ધાર્મિક આંદોલનનું નેતૃત્‍વ કર્યું હતું. જેનાથી તેઓ ભારતીય સ્‍વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્‍યક્‍તિ બન્‍યા. આ નાટકને નિહાળીને વિદ્યાર્થીઓએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવન-કવનને જાણવાની ખુબ જ રૂચિ દેખાડી હતી.
આજે આયોજીત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તેમની સફળતાની વાતો જણાવવા સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓ દ્વારા સત્રનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

vartmanpravah

Leave a Comment