June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત આજે છઠ્ઠા દિવસે ખુબ જ આનંદ, ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
‘જનજાતિય ગૌરવ દિવસ’ના કાર્યક્રમ હેઠળ શિક્ષકોએ શાળાઓમાં પ્રસિદ્ધ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિ પર આધારિત નાટકનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી.
વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે, ભગવાન બિરસા મુંડા એક ભારતીય આદિવાસી સ્‍વતંત્રતા સેનાની અને મુંડા જનજાતિના લોક નાયક હતા. તેમણે બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીના અંતમાં ઝારખંડમાં થયેલા આદિવાસી ધાર્મિક આંદોલનનું નેતૃત્‍વ કર્યું હતું. જેનાથી તેઓ ભારતીય સ્‍વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્‍યક્‍તિ બન્‍યા. આ નાટકને નિહાળીને વિદ્યાર્થીઓએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવન-કવનને જાણવાની ખુબ જ રૂચિ દેખાડી હતી.
આજે આયોજીત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તેમની સફળતાની વાતો જણાવવા સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓ દ્વારા સત્રનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

Leave a Comment