Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

અભિજીત તિવારી મહાકાલના પરમભક્‍ત અને ઉપાસક છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્‍ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્‍ત પરિવારે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કરી ભગવાન પ્રત્‍યે ભક્‍તની અતુટ શ્રધ્‍ધા ઉજાગર કરી હતી.
વાપી પાસે આવેલા લવાછા ગામ નિવાસી અભિજીત તિવારીનો પરિવાર ઉજ્જેનના બાબા મહાકાલ પ્રત્‍યે અતુટ શ્રધ્‍ધા ધરાવે છે. પરિવાર મહાકાલનો ઉપાસક છે. અભિજીત તિવારી પોતાના પરિવાર સાથે ઉજ્જેન મધ્‍યપ્રદેશ મહાકાલના દરબારમાં પહોંચ્‍યા હતા. મહાકાલના દર્શન, પૂજા, અભિષેક કરીને અતૂટ શ્રધ્‍ધા સાથે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ મહાકાલ દરબારને અર્પણ કર્યો હતો. મહાકાલ દરેક ભક્‍તોની મનોકામના સદૈવ પુરી કરે છે તેથી ભક્‍તો લાખો-કરોડોનું દાન અવિરત કરતા જોવા મળે છે. લવાછાના તિવારી પરિવારે પણ મહાકાલની અપ્રિતમ અતૂટ શ્રધ્‍ધાને ઉજાગર કરી હતી.

Related posts

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સદસ્ય અંજના પવારે અમદાવાદની મુલાકાત લીધી: સફાઇ કામદાર આયોગ અને વિવિધ યુનિયન સંગઠનો સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

Leave a Comment