October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

અભિજીત તિવારી મહાકાલના પરમભક્‍ત અને ઉપાસક છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્‍ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્‍ત પરિવારે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કરી ભગવાન પ્રત્‍યે ભક્‍તની અતુટ શ્રધ્‍ધા ઉજાગર કરી હતી.
વાપી પાસે આવેલા લવાછા ગામ નિવાસી અભિજીત તિવારીનો પરિવાર ઉજ્જેનના બાબા મહાકાલ પ્રત્‍યે અતુટ શ્રધ્‍ધા ધરાવે છે. પરિવાર મહાકાલનો ઉપાસક છે. અભિજીત તિવારી પોતાના પરિવાર સાથે ઉજ્જેન મધ્‍યપ્રદેશ મહાકાલના દરબારમાં પહોંચ્‍યા હતા. મહાકાલના દર્શન, પૂજા, અભિષેક કરીને અતૂટ શ્રધ્‍ધા સાથે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ મહાકાલ દરબારને અર્પણ કર્યો હતો. મહાકાલ દરેક ભક્‍તોની મનોકામના સદૈવ પુરી કરે છે તેથી ભક્‍તો લાખો-કરોડોનું દાન અવિરત કરતા જોવા મળે છે. લવાછાના તિવારી પરિવારે પણ મહાકાલની અપ્રિતમ અતૂટ શ્રધ્‍ધાને ઉજાગર કરી હતી.

Related posts

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment