July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

અભિજીત તિવારી મહાકાલના પરમભક્‍ત અને ઉપાસક છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્‍ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્‍ત પરિવારે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કરી ભગવાન પ્રત્‍યે ભક્‍તની અતુટ શ્રધ્‍ધા ઉજાગર કરી હતી.
વાપી પાસે આવેલા લવાછા ગામ નિવાસી અભિજીત તિવારીનો પરિવાર ઉજ્જેનના બાબા મહાકાલ પ્રત્‍યે અતુટ શ્રધ્‍ધા ધરાવે છે. પરિવાર મહાકાલનો ઉપાસક છે. અભિજીત તિવારી પોતાના પરિવાર સાથે ઉજ્જેન મધ્‍યપ્રદેશ મહાકાલના દરબારમાં પહોંચ્‍યા હતા. મહાકાલના દર્શન, પૂજા, અભિષેક કરીને અતૂટ શ્રધ્‍ધા સાથે મહાકાલને 2.609 કિ.ગ્રા. રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ મહાકાલ દરબારને અર્પણ કર્યો હતો. મહાકાલ દરેક ભક્‍તોની મનોકામના સદૈવ પુરી કરે છે તેથી ભક્‍તો લાખો-કરોડોનું દાન અવિરત કરતા જોવા મળે છે. લવાછાના તિવારી પરિવારે પણ મહાકાલની અપ્રિતમ અતૂટ શ્રધ્‍ધાને ઉજાગર કરી હતી.

Related posts

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્‍માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્‍પર મુકવાની માંગણી

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment