March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ધ્રુવ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રથમ શ્‍લોકો દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ સરસ કળષ્‍ણભજન રજૂ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને આગળ વધારતા રાજ્‍ય સરકાર દ્વારા દરેક શાળાઓમાં જનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હોય જેને લઇ ધો.8 ની વિદ્યાર્થીની હીર ભાનુશાલી દ્વારા આદિવાસી સમાજની સંસ્‍કળતિ અંગે વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું. સાથે ધ્રુવ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનું આદિવાસી નૃત્‍ય રજૂ કર્યું હતું. જે બાદ સ્‍વામીજી દ્વારા બોધવચનો આપવામાં આવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે ભારતના સાંસ્‍કળતિક વારસાને જાળવવા અને રાષ્‍ટ્રીય ગૌરવ બહાદુરી અને ભારતીય મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્‍નોને તેમજ આદિવાસી સમુદાયના લોકો ભગવાન બિરસા મુંડાને સમર્પિત અનેક કાર્યક્રમો આયોજિતકરે છે અને પોતાની સંસ્‍કળતિ ધરોહરને આજે પણ સાચવી રાખી છે તેમજ આદિવાસી સમાજના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવામાં આવ્‍યું હતું. જે બાદ સ્‍વામીજી દ્વારા સર્વે વિદ્યાર્થીઓને આર્શીવચનો પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment