April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર શ્રી અને પીઆઇ શ્રી ધરમપુરને ધરમપુર તાલુકામાં આવેલ દરેક ચિકનશોપની દુકાનોમાં મળતું (ચીકન) માસની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
હાલે ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચિકન શોપની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. જે આશરે 14 કિલોથી વધારે ગૌમાંસ હોય તો મને એવું લાગે છે કે આ ચિકન શોપમાંથી અન્‍ય જગ્‍યાએ પણ સપ્‍લાય કરવામાં આવતું હોઈ શકે કારણકે આખે આખી ગાયનું ગૌમાંસને એક જ જગ્‍યાએથી બધું જ વેચાઈ જવું પોસિબલ નથી. ધરમપુરની અનેક એવી સોપ હશે. જ્‍યાં આ વ્‍યક્‍તિદ્વારા ગૌમાંસ સપ્‍લાય કરવામાં આવતું હશે. જેથી ધરમપુર તાલુકાની બજારમાં આવેલ તમામ ચિકન શોપ આજુબાજુ વિસ્‍તારમાં આવેલ ચિકન શોપમાં તપાસ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી વિસ્‍તારના લોકો ગાયનું દૂધ ભરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એવા અમારા આદિવાસી વિસ્‍તારમાં અનેક પરિવારો છે જેઓ ફક્‍ત ગાયના દૂધ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એટલે અમારા આદિવાસીઓ માટે ગાય એક માઁ સમાન છે, જેથી ધરમપુર તાલુકાની દરેક દુકાનોની તપાસ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા આવા કળત્‍ય કરનારની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવશે એવી ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાત

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah

Leave a Comment