July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

ઘેકટી ગામે ખાલી પડેલી સરપંચની ચૂંટણી લડવા માટે ભાજપના ઉમેદવારો થનગની રહ્યા છે

સરપંચની ચૂંટણી લડવા માટે થનગની રહેલા આગેવાનોમાં પણ ચહલ પહલ વધી જવા પામી છે. તાલુકામાં આ સાથે 12 ગામોના 14-જેટલા વોર્ડ સભ્‍યોનીપણ પેટા ચૂંટણી યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી આવનાર સમયમાં જાહેર થવાની શકયતા વચ્‍ચે મામલતદાર કચેરી દ્વારા મતદાર યાદી સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે અને જરૂરી તમામ વિગતો પણ ઉપલી કચેરીએ પહોંચાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.
તાલુકામાં કણભાઈ અને સતાડીયા ગ્રામ પંચાયતની મુદત પૂરી થતાં જ્‍યારે રૂમલા, આંબાપાડા, સિયાદા, પ્રધાનપાડા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળીયા ગામો ગ્રામ પંચાયતના વિભાજન થવાથી, ઘેકટી ગામે સરપંચનું નિધન થવાથી જ્‍યારે નોગામાં, સાદકપોર, ઢોલુમ્‍બરમાં અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થવાથી સરપંચોની બેઠક ખાલી પડેલ છે. જોકે સાદકપોર અને ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતનો વિવાદ નામદાર હાઇકોર્ટમાં હોય આ બે ગ્રામ પંચાયતોની હાલે પેટા ચૂંટણી યોજવાની શકયતા નહીંવત છે.
આ ઉપરાંત તાલુકાના મીણકચ્‍છ, હોન્‍ડ, તલાવચોરા, સાદકપોર, ઘેકટી, તેજલાવ, નોગામાં, સોલધરા, આમધરા, અગાસી, અંબાચ, સુરખાઈ સહિતના ગામોમાં કુલ-14 જેટલા વોર્ડ સભ્‍યોની ખાલી પડેલ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
જોકે સામાન્‍ય ચૂંટણી યોજવાની છે. તે ગ્રામ પંચાયતોમાં સરપંચ વોર્ડસભ્‍યોની બેઠક માટેની અનામત કેટેગરી પણ હજુ જાહેર થઈ નથી પરંતુ આવનાર નજીકના દિવસોમાં ગમે ત્‍યારે ચૂંટણી થઈ શકે તેવી સ્‍થિતિમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા આગેવાનોની પણ રાજકીય ચહલ પહલ વધી જવા પામી છે.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

સંઘપ્રદેશમાં વિજ્ઞાન પ્રવાહના ટોપ થ્રીમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ

vartmanpravah

Leave a Comment