April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ ભાજપ દ્વારા કાર્યાલય દમણ ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬ : સામાજિક ન્યાયના પ્રણેતા, ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલય દમણ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત ભાજપના તમામ પદાધિકારીઓઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને નમન કર્યા હતા. ત્યારબાદ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી મજીદ લધાણીઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પરિચય અને તેમના દ્વારા સમગ્ર માનવજાત માટે કરવામાં આવેલા સંઘર્ષપૂર્ણ કાર્યોને યાદ કરાયા હતા. આ અવસરે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી મહેશ આગરિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, પ્રદેશ મહિલા મોરચાની અધ્યક્ષા શ્રીમતી સિમ્પલબેન કાટેલા, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, શ્રી રજનીકાંત ટંડેલ, પ્રદેશ ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ભરત પટેલ, શ્રી પ્રમોદ દમણિયા સહિત જિલ્લા ભાજપ મોરચાના અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment