Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

‘ઈન્‍ડિયા મેરિટાઈમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024′ યશોભૂમિ દ્વારકા ખાતે યોજાઈ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવે ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ- 2024’માં પેવેલિયનનું કરેલું પ્રદર્શન

ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચ એન્‍ડ ડીડીના પેવેલિયનની મુલાકાત પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્‍દ્ર શાસિત પ્રદેશની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.12 
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવ (ડીએનએચ એન્‍ડ ડીડીનો કેન્‍દ્ર શાસિત પ્રદેશ)એ તા.11 અને 12 ડિસેમ્‍બર, 2024ના રોજ યશોભૂમિ, દ્વારકા, દિલ્‍હી ખાતે યોજાયેલા ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024’માં ભાગ લીધો હતો. જેમાં તેના દરિયાઇ વારસાને ઉજાગર કરવા અને માળખાગત વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિને ઉજાગર કરવા માટે સમર્પિત પેવેલિયન તૈયાર કરવામાં આવ્‍યું હતું. છેલ્લાં દાયકા દરમિયાન આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં જુસ્‍સાદાર નેતૃત્‍વ અને સમર્પિત કટિબદ્ધતાને કારણે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 360 ડિગ્રીનું પરિવર્તન થયું છે. તેમજ નવા ભારત અને સ્‍વચ્‍છ ભારતનાં વિઝનને સાકાર કરવા માટે તે પોતાની કર્તવ્‍ય યાત્રા ચાલુરાખે છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાગ પ્રયાસોને કારણે કેન્‍દ્ર શાસિત પ્રદેશનું વહીવટીતંત્ર ડીએનએચ એન્‍ડ ડીડીને ભારતના પશ્ચિમ વિસ્‍તારમાં અગ્રણી પ્રવાસન સ્‍થળ અને ઉચ્‍ચ શિક્ષણ કેન્‍દ્ર તરીકે સ્‍થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશે છેલ્લાં 8 વર્ષમાં વૈશ્વિક કક્ષાનું માળખું વિકસાવ્‍યું છે, જેણે સંપૂર્ણ વિકાસને ઝડપથી વેગ આપ્‍યો છે.
આ અવસરે ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચ એન્‍ડ ડીડીના પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્‍દ્ર શાસિત પ્રદેશની પ્રશંસા કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ ડીએનએચ એન્‍ડ ડીડીના પ્રતિનિધિમંડળે દમણ અને દીવમાં ચાલી રહેલા જીર્ણોદ્ધારના કાર્યો પર ભાર મૂકતા પ્રદેશના જીવંત દરિયાઇ વારસા વિષે માહિતી પણ આપી હતી.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકાના મલિયાધરા, ઘેજ, ચરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ: વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેની વળતર રકમ ચૂકવ્‍યા વિના કબજા પાવતી પર સહી કરાવવા સામે ખેડૂતોએ વિરોધ કર્યો

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment