March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ કાંઠા વિસ્‍તારના 10 જેટલા ગામોના માછીમારોએ આજે રવિવારે 700 જેટલી બોટ બંધ રાખી સૌરાષ્‍ટ્રના માછીમારો દ્વારા થઈ રહેલી કનડગત સાથે વિરોધનું બ્‍યુગલ ફુંક્‍યું હતું.
વલસાડ કાંઠા વિસ્‍તારના સેંકડો પરિવારો માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવે છે. માછીમારીથી એમનું ગુજરાન ચાલે છે. કેટલાક સમયથી સૌરાષ્‍ટ્રના માછીમારો વલસાડ સાઈડના નોટીકલ માઈલ વિસ્‍તારમાં ઘૂસી માછીમારી કરી રહ્યા છે તેથી સ્‍થાનિક માછીમારોને મોટુ નુકશાન પડી રહ્યું છે. માછીમારી આગેવાનોએ જણાવ્‍યું હતું કે, બે વર્ષ પહેલાં આ સમસ્‍યા અંગે સમાધાન થયું હતું. તે વખતે નક્કી કર્યું હતું કે દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી વલસાડ ગુજરાતના માછીમારો માછીમારી કરશે પરંતુ આ સમાધાન થોડો સમય ચાલેલું. ત્‍યાર પછી પૂર્વવત સ્‍થિતિ દરિયામાં ઉભી થવી શરૂ થઈ હતી. સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલથી 9 નોટીકલ માઈલ સુધી અંદર ચાલી આવી. માછીમારી કરી રહ્યા છે. આ બાબતેબે દિવસ પહેલાં પણ કલેક્‍ટરને આવેદનપત્ર આપી યોગ્‍ય નિકાલની માંગ કરી હતી. પરંતુ કોઈ નિકાલ નહી કરાતા આજે 700 જેટલી બોટો બંધ રાખી માછીમારોએ વિરોધ શરૂ કરી દીધો હતો. કાંઠા વિસ્‍તારના 10 ગામોના બે હજાર ઉપરાંત માછીમારો વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા.

Related posts

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment