July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ કાંઠા વિસ્‍તારના 10 જેટલા ગામોના માછીમારોએ આજે રવિવારે 700 જેટલી બોટ બંધ રાખી સૌરાષ્‍ટ્રના માછીમારો દ્વારા થઈ રહેલી કનડગત સાથે વિરોધનું બ્‍યુગલ ફુંક્‍યું હતું.
વલસાડ કાંઠા વિસ્‍તારના સેંકડો પરિવારો માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવે છે. માછીમારીથી એમનું ગુજરાન ચાલે છે. કેટલાક સમયથી સૌરાષ્‍ટ્રના માછીમારો વલસાડ સાઈડના નોટીકલ માઈલ વિસ્‍તારમાં ઘૂસી માછીમારી કરી રહ્યા છે તેથી સ્‍થાનિક માછીમારોને મોટુ નુકશાન પડી રહ્યું છે. માછીમારી આગેવાનોએ જણાવ્‍યું હતું કે, બે વર્ષ પહેલાં આ સમસ્‍યા અંગે સમાધાન થયું હતું. તે વખતે નક્કી કર્યું હતું કે દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી વલસાડ ગુજરાતના માછીમારો માછીમારી કરશે પરંતુ આ સમાધાન થોડો સમય ચાલેલું. ત્‍યાર પછી પૂર્વવત સ્‍થિતિ દરિયામાં ઉભી થવી શરૂ થઈ હતી. સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલથી 9 નોટીકલ માઈલ સુધી અંદર ચાલી આવી. માછીમારી કરી રહ્યા છે. આ બાબતેબે દિવસ પહેલાં પણ કલેક્‍ટરને આવેદનપત્ર આપી યોગ્‍ય નિકાલની માંગ કરી હતી. પરંતુ કોઈ નિકાલ નહી કરાતા આજે 700 જેટલી બોટો બંધ રાખી માછીમારોએ વિરોધ શરૂ કરી દીધો હતો. કાંઠા વિસ્‍તારના 10 ગામોના બે હજાર ઉપરાંત માછીમારો વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા.

Related posts

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment