April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડના સુવિખ્‍યાત યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ જંગલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
પારનેરા ડુંગર યાત્રાધામ આસપાસ ઘીચ જંગલ આવેલું છે. આ જંગલમાં ઘાસ સુકાઈ ગયેલું હોવાથી આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણબહાર આવ્‍યું નથી. આગની જાણ થતા સ્‍થાનિક લોકો ડુંગરના જંગલમાં દોડી ગયા હતા. ઝાડની ડાળીઓ વિંઝીને આગ બુઝાવવાની સખત મહેનત કરી હતી. અંતે લોકોની મહેનત રંગ લાવી હતી. આગને બુઝાવી દેવાઈ હતી. એકાંત જંગલમાં આગ કેવી રીતે લાગે? ચર્ચા મુજબ કોઈએ કંઈ સળગાવ્‍યું હોય અથવા બીડી, સિગારેટ પિતા આગ લાગી હોય તેવું મનાય છે. અગાઉ પણ પારનેરા ડુંગરમાં આ પ્રમાણે આગ લાગી હતી તેવું સ્‍થાનિક લોકો વર્ણવી રહ્યા છે.

Related posts

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

Leave a Comment