July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડના સુવિખ્‍યાત યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ જંગલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
પારનેરા ડુંગર યાત્રાધામ આસપાસ ઘીચ જંગલ આવેલું છે. આ જંગલમાં ઘાસ સુકાઈ ગયેલું હોવાથી આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણબહાર આવ્‍યું નથી. આગની જાણ થતા સ્‍થાનિક લોકો ડુંગરના જંગલમાં દોડી ગયા હતા. ઝાડની ડાળીઓ વિંઝીને આગ બુઝાવવાની સખત મહેનત કરી હતી. અંતે લોકોની મહેનત રંગ લાવી હતી. આગને બુઝાવી દેવાઈ હતી. એકાંત જંગલમાં આગ કેવી રીતે લાગે? ચર્ચા મુજબ કોઈએ કંઈ સળગાવ્‍યું હોય અથવા બીડી, સિગારેટ પિતા આગ લાગી હોય તેવું મનાય છે. અગાઉ પણ પારનેરા ડુંગરમાં આ પ્રમાણે આગ લાગી હતી તેવું સ્‍થાનિક લોકો વર્ણવી રહ્યા છે.

Related posts

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment