March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડના સુવિખ્‍યાત યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ જંગલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
પારનેરા ડુંગર યાત્રાધામ આસપાસ ઘીચ જંગલ આવેલું છે. આ જંગલમાં ઘાસ સુકાઈ ગયેલું હોવાથી આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણબહાર આવ્‍યું નથી. આગની જાણ થતા સ્‍થાનિક લોકો ડુંગરના જંગલમાં દોડી ગયા હતા. ઝાડની ડાળીઓ વિંઝીને આગ બુઝાવવાની સખત મહેનત કરી હતી. અંતે લોકોની મહેનત રંગ લાવી હતી. આગને બુઝાવી દેવાઈ હતી. એકાંત જંગલમાં આગ કેવી રીતે લાગે? ચર્ચા મુજબ કોઈએ કંઈ સળગાવ્‍યું હોય અથવા બીડી, સિગારેટ પિતા આગ લાગી હોય તેવું મનાય છે. અગાઉ પણ પારનેરા ડુંગરમાં આ પ્રમાણે આગ લાગી હતી તેવું સ્‍થાનિક લોકો વર્ણવી રહ્યા છે.

Related posts

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment