December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાનહ પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘આઝાદીનો અમળત મહોત્‍સવ અંતર્ગત’ ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર વાણિજ્‍ય સપ્તાહ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય દેશમાંથી નિર્યાત કરનાર ઉત્‍પાદનો અને સેવાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે. જેમાં અપાતી સહાયો અને જાગરૂકતા ફેલાવવાનો છે. આ કાર્યક્રમમાં અલગ-અલગકંપનીઓએ પોતાના સ્‍ટોલ પણ લગાવ્‍યા હતા.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન દાનહ કલેકટર શ્રી સંદીપકુમાર સિંહના હસ્‍તે રીબીન કાપી કરવામા આવ્‍યું હતું. દેશભરના ઉદ્યોગના ઉત્‍પાદનોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર એક્‍સપોર્ટ કરવા માટે વાણિજ્‍ય સપ્તાહનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં પ્રદેશના ઉદ્યોગપતિઓને પ્રોત્‍સાહન આપવા વાણિજ્‍ય ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો છે.
આ કંપનીઓ દ્વારા લગાવવામા આવેલ સ્‍ટોલોની કલેકટર શ્રી સંદીપકુમાર સિંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ પદાધિકારીઓ નિહાળ્‍યું હતું.

Related posts

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

Leave a Comment