October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલના પ્રમુખ પદે આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં શિક્ષણના સ્‍તરમાં સુધારો કરી પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા સુધારાને જાળવી તેમાં વધારો કરવા મનન-મંથન કરવામાં આવ્‍યું હતું.
શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે આજે વિધિવત રીતે શિક્ષણ સમિતિનો હવાલો સંભાળી સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી. કાનન અને તેમની ટીમ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને શાળાનું સંચાલન પારદર્શક અને વિદ્યાર્થીલક્ષી બનાવવા જોર આપ્‍યું હતું.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે વિવિધ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી ચીજવસ્‍તુઓની જાણકારી પણ માંગી હતી અને કઈ શાળામાં શિક્ષકોની અપૂરતી હાજરી છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સિવણ ક્‍લાસ તથા મ્‍યુઝિક ક્‍લાસ શરૂ કરવા પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂકર્યો હતો. તેમણે શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ માટે એક કાર્યાલય ફાળવવા પણ રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમના કારણે આવતા દિવસોમાં દમણ જિલ્લાના પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનું શિક્ષણ ઔર વધુ પ્રભાવશાળી બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

Leave a Comment