June 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

સનાતન હિંદુ સંસ્‍કૃતિના મહિમા અને જ્ઞાન બાળકોમાં આવે તે માટે સ્‍કૂલમાં કર્યું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે. હિંદુ સંસ્‍કૃતિ સંસ્‍કાર અને પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે તેથી સનાતન હિંદુ સંસ્‍કૃતિના જતન માટે વાપી છીરીમાં કાર્યરત જ્ઞાનગંગા સ્‍કૂલમાં તૂલસી પૂજનનું આવકાર્ય આયોજન કરવામાં આવ્‍યું હતું. તુલસી પૂજન કાર્યક્રમમાં 1 હજાર ઉપરાંત બાળકોએ ભાગ લઈને આસ્‍થા પૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું.
ડુંગરા આશ્રમના મુકેશભાઈ મહારાજની રાબહરીમાં તુલસી પૂજન કાર્યક્રમ જ્ઞાનગંગા સ્‍કૂલમાં યોજાયો હતો. મહારાજ મુકેશભાઈએ શાષાોક્‍ત વિધી વિધાન પૂર્વક બાળકોને તુલસી પૂજન કરાવ્‍યું હતું તેમજ તુલસી, પીપળા જેવા વૃક્ષ છોડનો મહિમા બાળકોને સમજાવ્‍યો હતો. બાળકોએ તુલસી માતાની પૂજા-અર્ચના વંદન કરી શ્રધ્‍ધાપૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું. સ્‍કૂલ સંચાલક શૈલેષભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, બાળકો અને આજની પેઢી હિંદુ સનાતન સંસ્‍કૃતિ-પર્વ વિસરી રહ્યા છે. નાતાલને જાણે છે પણ પોતાની સંસ્‍કૃતિ અને પરંપરાથી દૂર થઈ રહ્યા છે. તેથી બાળકોને આધ્‍યાત્‍મિક સંસ્‍કાર આવે તે માટે સ્‍કૂલમાં પ્રત્‍યેક હિન્‍દુ તહેવાર તેના મહિમા સાથે ઉજવવામાં આવે છે. શાળાના આચાર્ય સુનીલ નાયરે સ્‍ટાફ, મહારાજ તથા વિદ્યાર્થીઓનો આભાર પ્રગટ કરી સર્વને ખાસ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

Leave a Comment