March 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

સનાતન હિંદુ સંસ્‍કૃતિના મહિમા અને જ્ઞાન બાળકોમાં આવે તે માટે સ્‍કૂલમાં કર્યું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે. હિંદુ સંસ્‍કૃતિ સંસ્‍કાર અને પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે તેથી સનાતન હિંદુ સંસ્‍કૃતિના જતન માટે વાપી છીરીમાં કાર્યરત જ્ઞાનગંગા સ્‍કૂલમાં તૂલસી પૂજનનું આવકાર્ય આયોજન કરવામાં આવ્‍યું હતું. તુલસી પૂજન કાર્યક્રમમાં 1 હજાર ઉપરાંત બાળકોએ ભાગ લઈને આસ્‍થા પૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું.
ડુંગરા આશ્રમના મુકેશભાઈ મહારાજની રાબહરીમાં તુલસી પૂજન કાર્યક્રમ જ્ઞાનગંગા સ્‍કૂલમાં યોજાયો હતો. મહારાજ મુકેશભાઈએ શાષાોક્‍ત વિધી વિધાન પૂર્વક બાળકોને તુલસી પૂજન કરાવ્‍યું હતું તેમજ તુલસી, પીપળા જેવા વૃક્ષ છોડનો મહિમા બાળકોને સમજાવ્‍યો હતો. બાળકોએ તુલસી માતાની પૂજા-અર્ચના વંદન કરી શ્રધ્‍ધાપૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું. સ્‍કૂલ સંચાલક શૈલેષભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, બાળકો અને આજની પેઢી હિંદુ સનાતન સંસ્‍કૃતિ-પર્વ વિસરી રહ્યા છે. નાતાલને જાણે છે પણ પોતાની સંસ્‍કૃતિ અને પરંપરાથી દૂર થઈ રહ્યા છે. તેથી બાળકોને આધ્‍યાત્‍મિક સંસ્‍કાર આવે તે માટે સ્‍કૂલમાં પ્રત્‍યેક હિન્‍દુ તહેવાર તેના મહિમા સાથે ઉજવવામાં આવે છે. શાળાના આચાર્ય સુનીલ નાયરે સ્‍ટાફ, મહારાજ તથા વિદ્યાર્થીઓનો આભાર પ્રગટ કરી સર્વને ખાસ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment