વલસાડ : તા.30: કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.2/10/2021ના રોજ સાંજે 5-00 કલાકે વાવ સર્કલ, ધરમપુર, સાંજે 5-30 કલાકે નાનાપોંઢા તેમજ સાંજે 18-30 કલાકે મોટાપોંઢા ખાતે યોજનારા જન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. તા.3/10/21ના રોજ સવારે 9-30 કલાકે એ.પી.એમ.સી. હોલ-સુથારપાડા, સવારે 11-00 કલાકે કોમ્યુનીટિ હોલ કપરાડા, બપોરે 1-00 કલાકે જોગવેલ પેટ્રોલ પંપ પાસે, બપોરે 1-30 કલાકે જલારામ ચોક-ગોઇમા તેમજ બપોરે 2-45 કલાકે મુખ્ય પ્રાથમિક શાળા અંબાચ ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ અનુકૂળતાએ મતવિસ્તારના પ્રશ્નો અંગે લોકસંપર્ક કરશે.