October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

  • દમણના આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રાષ્‍ટ્રીય એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળો યોજાયોઃ 10 ઉદ્યોગ ગૃહો દ્વારા 104 તાલીમાર્થીઓમાંથી થનારી પસંદગી

    તાલીમાર્થીઓને ઉદ્યોગ ગૃહોમાં શ્રમેવ જયતેની ભાવનાથી કામ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરવા પણ અપાયેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 04
આજે દમણની ઈન્‍ડસ્‍ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આઈ.ટી.આઈ.)ના કેમ્‍પસમાં ‘રાષ્‍ટ્રીય એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળા’નો આરંભ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીએ પ્રિન્‍સિપાલ ડો. અવિનાશ આર. ચૌધરી તથા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં કરાવ્‍યો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તાલીમાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે, આ સમય તમારી કારકિર્દીનો સૌથી ઉજ્જવળ સમય બની રહેવો જોઈએ. કારણ કે, આજે તમે તમારો અભ્‍યાસ પૂર્ણ કરીને આજીવિકા મેળવવા તરફ જઈ રહ્યા છો. તેથી આળસ વગર કામમાં 100 ટકા ધ્‍યાન આપવા સલાહઆપી હતી.
શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ઉદ્યોગોના કારણે જ દમણની ઓળખ અને સમૃદ્ધિ વધી છે. તેમણે તાલીમાર્થીઓને શ્રમેવ જયતેના મંત્રને આત્‍મસાત કરી પુરા લગનથી કામ કરી ઉદ્યોગ ગૃહો પણ તમને કાયમી નોકરીએ રાખવા મજબુર બને તેવો પ્રભાવ પાડવા અનુરોધ કર્યો હતો. દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મોદી સરકારની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને કેમ્‍પસમાં પ્‍લેસમેન્‍ટ મળે એ સરકારનું વિઝન અને આયોજન છે. તેમણે ઉદ્યોગ ગૃહોને પણ માનવીય અભિગમ અપનાવી તાલીમાર્થીઓને વધુ સક્ષમ કરવા તાકિદ કરી હતી. તેમણે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પોતે પોતાનું કારખાનું ઉભું કરી શકે એવી ત્રેવડ રાખવા પણ સમજણ આપી હતી.
પ્રારંભમાં આઈ.ટી.આઈ.ના પ્રિન્‍સિપાલ ડો. અવિનાશ આર. ચૌધરીએ સરકાર દ્વારા એપ્રેન્‍ટિસશીપ ભરતી માટે કરેલા આયોજનની વિગતવાર માહિતી આપી હતી. આજે દમણની 10 કંપનીઓ દ્વારા 104 જેટલા ટ્રેઈનીના ઈન્‍ટરવ્‍યુ કરી તેમને એપ્રેન્‍ટિસ તરીકે ભરતી કરનાર હોવાની પણ જાણકારી આપી હતી.
આજે (1)સોવરિન ફાર્મા (2)બાંસવારા ગારમેન્‍ટ (3)પેનાસોનિક લાઈફ સોલ્‍યુશન (4)અવી ગ્‍લોબલ પ્‍લાસ્‍ટ (5)મલ્‍ટી લાઈટિંગ કન્‍ટ્રોલ્‍સ (6)કાબરા (7)ઓલટાઈમ પ્‍લાસ્‍ટિક (8)ઝાયડસ હેલ્‍થકેર (9)બીક સેલોએક્‍સ્‍પોર્ટસ અને (10)મેક્‍લોઈડ્‍સ ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ દ્વારા એપ્રેન્‍ટિસશીપ ભરતી મેળામાં ભાગ લેવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલીએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એપ્રેન્‍ટિસશીપ એડવાઈઝર શ્રી રાહુલ એન. પટેલે ખુબ જ સફળતાપૂર્વક કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment